ઉપલેટા: ધોરણ 10માં નાપાસ થતા વિદ્યાર્થીનીએ કર્યો આપઘાતનો પ્રયાસ
BY Connect Gujarat21 May 2019 10:45 AM GMT
X
Connect Gujarat21 May 2019 10:45 AM GMT
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10નું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ ઉપલેટમાં ઉષાગૌરી પરમાર નામની વિદ્યાર્થીની ધોરણ 10માં બે વિષય માં નાપાસ થતા આપઘાત નો પ્રયાસ કર્યો છે.
સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો આપઘાત નો પ્રયાસ કરનાર વિદ્યાર્થીની પોરબંદર રોડ પર આમ્રપાલી સોસાયટીની બાજુમાં આવેલ શ્રદ્ધા સોસાયટીમાં રહેતી દલિત પરિવારની હોવાનું જાણવા મળેલ છે. ધોરણ ૧૦ની વિધાર્થીનીએ તુલસી એપાર્ટમેન્ટ પરથી કૂદકો લગાવી કર્યો આપઘાતનો પ્રયાસ કર્યો છે. વિદ્યાર્થીનિએ તુલસી ટાવરની અગાસી પરથી કૂદકો લગાવતા ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનના છાપરા ઉપર પડતા જીવ ઇજા પહોંચી હતી. જે બાદ તેને તાત્કાલિક અસર થી શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
Next Story