Connect Gujarat
ગુજરાત

કવાંટના ગેરના મેળામાં આદિવાસીઓની રમઝટ

કવાંટના ગેરના મેળામાં આદિવાસીઓની રમઝટ
X

આદિવાસીઓની પરંપરાગત વેશભૂષાથી દેશ-વિદેશના પર્યટકો મંત્રમુગ્ધ થયા

કવાંટમાં હોળીના ત્રીજા દિવસે ભરાતો ગેરનો મેળો યોજાયો હતો.કવાંટ તાલુકો ત્રણ રાજ્યની સરહદ પર આવેલો હોવાથી મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર,અને ગુજરાતના આદિવાસી સમાજના લોકો ગેરના મેળાની માજા માણી હતી. ઢોલ-નગારાના તાલે વાંસળીમાં સૂર પુરાવતા આદિવાસી લોકનૃત્યથી કવાંટનો આ ગેરનો મેળો વિશ્વ વિખ્યાત થઇ રહ્યો છે. આ વર્ષે પણ વિદેશી પર્યટકોનો ઘસારો જોવા મળ્યો હતો.

Next Story