કાશ્મીર : સર્જિકલ સ્ટ્રાઈકમાં ભાગ લેનાર જાંબાઝ જવાન એન્ટી ટેરરિસ્ટ ઓપરેશનમાં શહીદ
BY Connect Gujarat25 Sep 2018 5:13 PM GMT
X
Connect Gujarat25 Sep 2018 5:13 PM GMT
બે વર્ષ પહેલા પાકિસ્તાનમાં ઘુસીને આતંકવાદીઓનો ખાત્મો કરવા માટે કરેલી સર્જિકલ સ્ટ્રાઈકમાં ભાગ લેનાર ભારતીય સેનાના જાંબાઝ જવાન લાન્સ નાયક સંદીપ સિંહ એક એન્ટી ટેરરિસ્ટ ઓપરેશનમાં શહીદ થયા છે.
જમ્મુ કાશ્મીરના તંગધારમાં સેના દ્વારા ચલાવી રહેલા ઓપરેશનમાં સંદીપ સિંહ પણ સામેલ હતા. આતંકવાદીઓ સામે કાર્યવાહી દરમિયાન તેમને ગોળી વાગી હતી. તેઓ સ્પેશ્યલ ફોર્સના ચોથા યુનિટના સભ્ય હતા. શહીદ થતા પહેલા તેમણે બે આતંકવાદીઓનો સફાયો કર્યો હતો.
સંદીપ સિંહ પત્ની અને પાંચ વર્ષના પુત્રને પાછળ છોડી ગયા છે. બે વર્ષ પહેલા પાકિસ્તાનમાં ઘુસીને આતંકવાદીઓને મારનારા જાંબાઝ કમાન્ડોમાં તેઓ પણ સામેલ હતા. સોશ્યલ મીડિયા પર આ ખબર સાંભળ્યા બાદ શ્રધ્ધાંજલિનો ધોધ વહી રહ્યો છે.
Next Story