Connect Gujarat
ગુજરાત

કુવૈતના દરિયામાં માછીમારી કરીને પરત ફરતા નવસારીના માછીમારોની બોટ સ્થાનિક ચાંચીયાઓએ અંધાધુંધ ફાયરિંગ કરિને લૂંટ ચલાવી

કુવૈતના દરિયામાં માછીમારી કરીને પરત ફરતા નવસારીના માછીમારોની બોટ સ્થાનિક ચાંચીયાઓએ અંધાધુંધ ફાયરિંગ કરિને લૂંટ ચલાવી
X

હુમલામા બોટ હંકારતા નવસારીના ખપરવાડાના બળવંત ટંડેલને બે ગોળીઓ વાગતા તેમનુ સારવાર દરમિયાન મોત

3:5મી મે ના રોજ બળવંત ટંડેલ તેમના દિકરા અને વલસાડના દાંતી ગામના યુવાન સાથે કુબ્બર બન્દરેથી બોટ લઈ માછીમારી માટે ગયા હતા

બોટ ચલાવતા બળવંતને બે ગોળીઓ વાગતા તેમણે બોટ ઉભી રાખવી પડી હતી. જ્યારે તેમનો દિકરો નયન અને અન્ય યુવાન ગોળીબાર દરમિયાન બોટમાં છુપાઇ જતા બચી ગયા

બંને પુત્રો ઘટનાને યાદ કરતા જ ગમગીન બની જાય છે.

કુવૈતના દરિયામાં માછીમારી કરીને પરત ફરતા નવસારીના માછીમારોની બોટ સ્થાનિક ચાંચીયાઓએ અંધાધુંધ ફાયરિંગ કરિને લૂંટ ચલાવી હતી. હુમલામા બોટ હંકારતા નવસારીના ખપરવાડાના બળવંત ટંડેલને બે ગોળીઓ વાગતા તેમનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે હુમલામાં અન્ય બે માછીમારો સંતાઇ જતા તેમનો બચાવ થયો હતો.

નવસારીના ગણદેવી તાલુકાના ખાપરવાડા ગામના બળવંત ટંડેલ કુવૈતના શેખને ત્યાં માછીમારી માટે નોકરી કરતા હતા. જેમની સાથે એમનો નાનો દિકરો નયન પણ માછીમારી કરવા ગયો હતો. ગત તા.પાંચમી મે ના રોજ બળવંત ટંડેલ તેમના દિકરા અને વલસાડના દાંતી ગામના યુવાન સાથે કુબ્બર બંદરેથી બોટ લઈ માછીમારી માટે ગયા હતા. દરિયામાથી માછલી પકડ્યા બાદ બંદરે પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક સ્થાનિક ચાંચિયાઓએ બળવંત ટંડેલની બોટ પર હુમલો કર્યો હતો અને અંધાધુંધ ફાયરિંગ કર્યું હતુ. જેમા બોટ ચલાવતા બળવંતને બે ગોળીઓ વાગતા તેમણે બોટ ઉભી રાખવી પડી હતી. જ્યારે તેમનો દિકરો નયન અને અન્ય યુવાન ગોળીબાર દરમિયાન બોટમાં છુપાઇ જતા બચી ગયા હતા. જોકે ચાંચીયાઓએ દોઢથી બે કલાક સુધી બોટ અટકાવી માછલીઓ, કોમ્પ્યુટર તેમજ ૮૦ દિનારની લૂંટ ચલાવી ઘટના સ્થળેથી ફરાર થયા હતા.

ચાંચીયાઓના હુમલા બાદ નયન અને અન્ય યુવાન બોટને કુબ્બર બંદરે લાવ્યા હતા અને ત્યાથી ભાઇ દિપેશ સાથે પિતાને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યા બળવંત ટંડેલનું ઓપરેશન થયું હતુ, પણ એક ગોળી પેટ સુધી પહોંચી હોવાથી ૬ દિવસની સારવાર બાદ બળવંત ટંડેલનું મોત નિપજ્યુ હતું. જ્યાંથી સ્થાનિક એન.જી.ઓ અને ભારતીય દુતાવાસની મદદથી પાંચ દિવસે બળવંત ટંડેલના મૃતદેહને ખાપરવાડા લાવવામા આવ્યો હતો અને અંતિમસંસ્કાર કરાયા હતા. બળવંતના અવસાનથી એમનિ પત્નીના આંખોના આંસુ સુકાવાનુ નામ નથી લેતા, જ્યારે બંને પુત્રો ઘટનાને યાદ કરતા જ ગમગીન બની જાય છે. જોકે ભારત સરકાર મૃતક બળવંતનો પરિવાર કુવૈત સરકારમા વાત કરીને તેમને ન્યાય અપાવે એવી અપેક્ષા સેવી રહ્યો છે.

Next Story