Connect Gujarat
Featured

કોરોના મહામારી : આજે વધુ 1118 નવા કેસ નોધાયા,23 દર્દીઓના મોત,1140 લોકો થયા સ્વસ્થ

કોરોના મહામારી  :  આજે વધુ 1118 નવા કેસ નોધાયા,23 દર્દીઓના મોત,1140 લોકો થયા સ્વસ્થ
X

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 1118 નવા પોઝટિવ કેસ નોંધાયા. જ્યારે આજે વધુ 23 દર્દીઓના મોત થયા. રાજ્યમાં આજે 1140 દર્દીઑને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિત કેસની સંખ્યા 73,238 પર પહોંચી છે.અને કુલ મુત્યુઆંક 2697 પર પોહચ્યો છે.

રાજ્યમાં આજે 1118 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ 150, વડોદરા 111, સુરત 236, રાજકોટ 87, જામનગર 44, ભરૂચ 40, ભાવનગર 57, પંચમહાલ 35, અમરેલી 30, મહેસાણા 29, ગીર સોમનાથ 28, મોરબી 27, કચ્છ 23, દાહોદ 22, વલસાડ 22, ગાંધીનગર 30, ખેડા 17, જુનાગઢ 19, સુરેન્દ્રનગર 15, પાટણ 14, આણંદ 10, મહીસાગર 10, નવસારી 10, બોટાદ 9, નર્મદા 9, સાબરકાંઠા 8, દેવભૂમિ દ્વારકા 7, બનાસકાંઠા 6, છોટા ઉદેપુર 4, પોરબંદર 4, તાપી 4, અરવલ્લી 3 કેસો સામે આવ્યા છે.

રાજ્યમાં આજે 23 દર્દીઓના કોરોના કારણે મોત થયા છે. જેમાં સુરતમાં 10,રાજકોટ 4, અમદાવાદમાં 3, પાટણમાં 2, વડોદરામાં 2, ભાવનગરમાં 1, વલસાડમાં 1 નું મોત થયું છે .

રાજ્યમાં આજે 41,647 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં હાલ 14,125 એક્ટિવ કેસ છે, જ્યારે 56,416 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 79 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,046 લોકો સ્ટેબલ છે.

Next Story