કોરોના મહામારી : દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 8400ને પાર
BY Connect Gujarat12 April 2020 3:55 AM GMT
X
Connect Gujarat12 April 2020 3:55 AM GMT
કોરોના વાયરસના લીધે દેશમાં શનિવારના રોજ કુલ 854 નવા કેસ નોંધાયા હતા.જ્યારે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 8,400ને પાર થઈ હતી. છેલ્લા 24 કલાકમાં દેશમાં અત્યાર સુધીમાં સૌથી વધારે 36 લોકોના મોત થયા હતા. આ સાથે દેશમાં કુલ મૃત્યુઆંક 297 થયો હતો.
અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે 1761 પોઝિટિવ કેસ સામે આવ્યા
છે, દિલ્હીમાં 1069
પોઝિટિવ કેસ મળ્યા છે. શનિવારે મહારાષ્ટ્રમાં 17 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
શનિવારે મહારાષ્ટ્રમાં 187, દિલ્હીમાં 166, રાજસ્થાનમાં 139, ગુજરાતમાં 90 અને મધ્ય પ્રદેશમાં 78 કેસ સામે આવ્યા છે. કર્ણાટકમાં 8,ઝારખંડ અને હરિયાણામાં 3-3 તથા બિહારમાં 4 કેસ સામે આવ્યા છે. આ આંકડા covid19india
વેબસાઈટ અને રાજ્ય સરકારોના આંકડા પ્રમાણે છે.
Next Story