Connect Gujarat
Featured

કોરોના મહામારી : નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક પેકેજ કર્યું જાહેર

કોરોના મહામારી : નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક પેકેજ  કર્યું જાહેર
X

કોરોના વાયરસના કારણે દેશમાં 21 દિવસનું લોકડાઉન છે. આ લોકડાઉનના કારણે દેશના અર્થતંત્રને ભારે નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે સરકાર તરફથી નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક પેકેજ જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે, ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત કરીબોને 1.7 લાખ કરોડ રૂપિયાની મદદ આપવામાં આવશે.

નાણામંત્રી સીતારમણે કહ્યું કે જે કોરોના કમાન્ડોઝ આ જંગ સામે લડી રહ્યા છે તેમને 15 લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવશે

80 કરોડ લોકોને અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. દરેક વ્યક્તિને 5 કિલો અનાજ અલગથી ફ્રીમાં આપવામાં આવશે.

સરકાર ગરીબોને અન્ન અને ધન બન્ને રીતે મદ કરશે.

આગામી ત્રણ મહિના સુધી 80 કરોડ ગરીબોને 5 કિલો રાશન (ઘઉં અથવા ચોખા) મળશે. સાથે જ દરેક ઘરને તેની પસંદની એક કિલો દાળ પણ આપવામાં આવશે.

સ્વાસ્થ્યકર્મીઓનો આભાર વ્યક્ત કરતાં નાણામંત્રીએ તેમના માટે 50 લાખ રૂપિયાના જીવન વીમાની જાહેરાત કરી.

ઉજ્જવલા યોજના અંતર્ગત 8 કરોડ બીપીએલ પરિવારોને ત્રણ મહિના સુધી ફ્રી સિલિન્ડર મળશે.

જ્યારે અંદાજે 20 કરોડ મહિલાઓના ખાતામાં આગામી ત્રમ મહિના સુધી 500 રૂપિયા પ્રતિ માસ આપવામાં આવશે. આ રકમ સીધી જ જનધન ખાતામાં આવશે.

વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગોને 1000 રૂપિાય વધારાના આપવામાં આવશે. આ આગામી ત્રણ મહિના માટે હશે. આ બે ભાગમાં આપવામાં આવશે. આ વર્ગના લોકોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવામાં આવશે. આ પહેલનો ફાયદો લગભગ 3 કરોડ લોકોને થશે.

મનરેગા અંતર્ગત આવનાર વર્કર્સની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. તેમને પહેલા પ્રત્યેક દિવસ માટે 182 રૂપિયા મળતા હતા જે વધારીને 202 રૂપિયા કરવામાં આવ્યા છે. તેનો ફાયદો 5 કરોડ પરિવારને થવાની ધારણા છે.

નાણામંત્રીએ કહ્યું કે, અમે રાજ્ય સરકારોને વિનંતી કરી છે કે તે જિલ્લા મિનરલ ફંડનો ઉપયોગ મેડિકલ સ્ક્રીનિંગ, ટેસ્ટિંગ ગતિવિધિ, કોરોના વિશે જાગરૂકતા અન્ય કાર્યોમાં કરે.

નિર્માણ વર્કર્સ માટે તેમના વેલફેર ફંડમાં 31 હજાર કરોડ છે અને 3.5 કરોડ મજૂર છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને કહ્યું કે, તેમને ઇમરજન્સીની સ્થિતિમાં મદદ કરે, હાલમાં લોકડાઉનના સમયમાં આવી સ્થિતિ છે, આ રકમનો ઉપયોગ કરી અમે ઈચ્છીએ છીએ કે રાજ્ય સરકાર તેમને ફાયદો આપે.

સંગઠિત ક્ષેત્રના કર્મચારી માટે અને એવી સંસ્થા જ્યાં 100થી ઓછા કર્મચારી છે અથવા એવી સંસ્થા છે જ્યાં 90 ટકા કર્મચારીનો પગાર 15000થી ઓછો છે, તેમના ઈપીએફનો 12 ટકા જે કર્મચારી આપે છે અને 12 ટકા એમ્પ્લોટર આપતા હતા એ બન્ને આગામી ત્રણ મહિના સુધી સરકાર આપશે.

પીએમ ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મહિલા સેલ્ફ હેલ્ફ ગ્રુપ અંતર્ગત 7 કરોડ પરિવારોને લાભ મળશે. દીન દયાલ રાષ્ટ્રીય ગ્રામીણ યોજના અંતર્ગત તેમને જામીન ફ્રી લોન બેગણી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવશે. તેનાથી 63 લાખ લોકોને ફાયદો મળશે.

સરકાર પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત 8.69 કરોડ ખેડૂોતને એપ્રિલના પ્રથમ સપ્તાહમાં બે બે હજાર રૂપિયાનો હપ્તો અગાઉથી ચૂકવી દેશે.

Next Story