Connect Gujarat
Featured

કોરોના વાયરસ : દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 1100ને પાર પહોચી

કોરોના વાયરસ : દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 1100ને પાર પહોચી
X

ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1136 સુધી પહોંચી ગઈ છે. કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 6 લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે 106 નવા કેસ સામે આવ્યા છે.

મહારાષ્ટ્રમાં વધુ સાત લોકો કોરોના વાયરસથી

સંક્રમિત થયા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યાને 203 પર પહોંચી છે.

અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 6, ગુજરાતમાં પાંચ, કર્ણાટકમાં ત્રણ, મધ્યપ્રદેશમાં 2 અને તમિલનાડુ, બિહાર, પંજાબ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર અને

હિમાચલ પ્રદેશમાં એક-એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

Next Story