ગુજકેટ આપવા માટે 17 વર્ષ પુર્ણ હોવા જરૂરી
BY Connect Gujarat21 April 2016 10:11 AM GMT
X
Connect Gujarat21 April 2016 10:11 AM GMT
મેડિકલ પ્રવેશ સમિતિએ 17 વર્ષ પૂર્ણ ન કરેલા હોય તેવા વિદ્યાર્થીઓને ગુજકેટ ન આપવા દેવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે ઘણાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
મેડિકલ પ્રવેશ સમિતિએ શિક્ષણ બોર્ડને લેખિતમાં જાણ કરી હતી કે જે વિદ્યાર્થીઓએ 31 ડિસેમ્બરે 18મા વર્ષમાં પ્રવેશ કર્યો હોય તેમને જ ગુજકેટ આપવા દેવામાં આવશે. અગાઉ 12 સાયન્સની બોર્ડની પરિક્ષા બાદ 18મા વર્ષમાં પ્રવેશ ન કર્યો હોય તેમ છતાં ગુજકેટ આપવાની પરવાનગી હતી. મેડિકલ અને પેરા મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટની પરીક્ષા આપવાની હોય છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષની ગુજકેટ 10મી મેના રોજ નવા નિયમ મુજબ લેવામાં આવશે.
Next Story