Connect Gujarat
સમાચાર

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 1112 નવા કેસ નોધાયા, 1264 દર્દીઑ થયા સાજા

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 1112 નવા કેસ નોધાયા, 1264 દર્દીઑ થયા સાજા
X

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 1112 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે વધુ 6 દર્દીઑના મોત થયા છે. રાજ્યમાં આજે 1264 દર્દીઓને સારવાર આપ્યા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,65,233 પર પહોંચી છે. અને સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3676 થયો છે.

રાજ્યમાં આજે 1112 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 169, અમદાવાદ કોર્પોરેશનમાં 166, વડોદરા કોર્પોરેશન 80,સુરત 70, રાજકોટ કોર્પોરેશન 69, વડોદરા 41, રાજકોટ 38, જામનગર કોર્પોરેશન 37, મહેસાણા 37, સાબરકાંઠા 34, ભરૂચ 24, બનાસકાંઠા 23, પાટણ 21, સુરેન્દ્રનગર 21, ગાંધીનગર 20, નર્મદા 20, પંચમહાલ 19, અમરેલી 18, ગાંધીનગર કોર્પોરેશનમા 18 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે 6 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, બનાસકાંઠામાં 1 અને ગાંધીનગરમાં 1 દર્દીનું મોત થયું છે.


રાજ્યમાં આજે કુલ 1264 દર્દી સાજા થયા હતા અને 52,947 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 55,38,392 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.31 ટકા છે. રાજ્યમાં હાલ 13,985 એક્ટિવ કેસ છે, જ્યારે 1,47,572 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 69 દર્દી વેન્ટીલેટર પર છે અને 13,916 લોકો સ્ટેબલ છે.

Next Story