Connect Gujarat
Featured

ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 626 નવા કેસ નોંધાયા,19 દર્દીઓના મોત

ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 626 નવા કેસ નોંધાયા,19 દર્દીઓના મોત
X

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના વધુ 626 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 19 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં આજે 440 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં હાલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 32023 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1828 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 23248 દર્દીઓ સાજા થયા છે.

આજે 626 નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદમાં 236, સુરતમાં 206, વડોદરામાં 50 ,પાટણ 20, રાજકોટ 11, આણંદ 11, મહેસાણા 10, અમરેલી 10, સુરેન્દ્રનગર 9, ભરૂચ 8, અન્ય રાજ્ય 8, ખેડા 7, જામનગર કોર્પોરેશન 6, અરવલ્લી 6, ભાવનગર 7 , પંચમહાલ 3, ગીર સોમનાથ 3, રાજકોટ કોર્પોરેશન 2, ગાંધીનગર 2, કચ્છ 2,નવસારી 2, દેવભૂમિ દ્વારકા 2, જૂનાગઢ 3, બનાસકાંઠા 1, સાબરકાંઠા 1, બોટાદ 1 અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 19 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદમાં 9, સુરતમાં 4, સુરેન્દ્રનગર 2, બનાસકાંઠા 1, રાજકોટ 1, ખેડા 1 અને અમરેલીમાં એક દર્દીનું મોત થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1828 લોકોનાં કોરોનાથી મોત થયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 23248 દર્દીઓ સારવાર બાદ સાજા થઈને ઘરે ગયેલ છે. હાલમાં 6947 એક્ટિવ કેસ છે, જેમાંથી 63 વેલ્ટીલેટર પર છે અને 6884 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,67, 739 ટેસ્ટ કરવામાં આવ્યા છે

Next Story