Connect Gujarat
Featured

ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 1101 નવા પોઝીટીવ કેસ નોંધાયા,23 દર્દીઓના મોત

ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 1101 નવા પોઝીટીવ કેસ નોંધાયા,23 દર્દીઓના મોત
X

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1101 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 23 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 69986 પર પહોંચી ગઈ છે. અને કુલ મૃત્યુઆંક 2629 પર પહોંચ્યો છે. આજે વધુ 1135 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે અત્યાર સુધી કુલ 52827 દર્દીઓએ સાજા થયા છે.

આજે 1101 નવા નોંધાયેલ કેસ પૈકી સુરત-226, અમદાવાદ-158, વડોદરા-113 , રાજકોટ-93 , જામનગર-54 , અમરેલી-33,પંચમહાલ- 31, મહેસાણા 30, ભાવનગર-47, દાહોદ -27, ગીર સોમનાથ 26, કચ્છ 22, સુરેન્દ્રનગર -21, ગાંધીનગર 30, મોરબી 20, પાટણ-19, જુનાગઢ -32 , વલસાડ -17, ભરૂચ -11, નર્મદા- 11, ખેડા-10, આણંદ-9, બોટાદ -9, મહીસાગર-9, છોટા ઉદેપુર-8, સાબરકાંઠા-8, નવસારી-7, બનાસકાંઠા-5, પોરબંદર -5, દેવભૂમી દ્વારકા-4, અરવલ્લી-3, તાપી-2 અને ડાંગમાં- 1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં આજે વધુ 23 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં સુરતમાં-6, અમદાવાદ 5,સુરતમાં 4, જુનાગઢ-2, કચ્છ-2, વડોદરા -2, અમરેલી-1, અને ગાંધીનગરમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 2629 લોકોના કોરોના વાયરસના કારણે મોત થઈ ચૂક્યા છે.

રાજ્યમાં હાલ 14530 એક્ટિવ કેસ છે, જેમાંથી 82 વેલ્ટીલેટર પર છે અને 14448 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 52827 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 9,56,645 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રિકવર રેટ 75.48 ટકા છે.

Next Story