Connect Gujarat
ગુજરાત

ચીખલીનાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ગાંધી તરીકે જાણીતા કાનજીબાપાએ ભાજપ સાથે છેડો ફાડયો

ચીખલીનાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ગાંધી તરીકે જાણીતા કાનજીબાપાએ ભાજપ સાથે છેડો ફાડયો
X

ચીખલીનાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપ માટે દક્ષિણ ગુજરાતનાં ગાંધી ગણાતા એવા કાનજીબાપાએ પક્ષ માંથી રાજીનામુ આપી દેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.

ચીખલીનાં પૂર્વ કેબિનેટ મંત્રી કાનજીબાપાએ ભાજપ માંથી રાજીનામુ આપવા પાછળનું કારણ ભાજપે તેઓનાં પુત્રને ગણદેવી વિધાનસભામાં ટિકિટ ન આપતા નારાજગી વ્યક્ત કરીને રાજીનામુ આપ્યુ હોવાનું જણાવ્યુ હતુ.કાનજીબાપાનાં પુત્ર સુનિલે પણ રાજીનામુ ધરી દીધુ છે, તેમજ કાનજીભાઈએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત જનસંઘ થી કરી હતી અને આજે ભારતીય જનતા પાર્ટી સાથે રહી વિવિધ હોદ્દા પર રહ્યા હતા, પરંતુ છેલ્લા ઘણા સમય થી પાર્ટીમાં પોતાની અવગણના થતી હોય પાર્ટીમાં રહી ગુંગળામણ અનુભવતા પોતે રાજીનામુ આપ્યુ હોવાનું જણાવ્યુ હતુ.

Next Story