જમ્મુ કાશ્મીરના બાંદિપોરામાં બે આતંકવાદી ઠાર- બે જવાન શહીદ
BY Connect Gujarat11 Oct 2017 6:02 AM GMT
X
Connect Gujarat11 Oct 2017 6:02 AM GMT
જમ્મૂ-કાશ્મીરના બાંદીપોરાના હાઝિન વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સિક્યુરિટી ફોર્સે 2 આતંકીઓને મોતને ઘાટે ઉતાર્યા હતા. આતંકીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના 2 જવાન પણ શહીદ થયા છે. આતંકીઓ લશ્કર-એ-તોયબાના હોય તેવી જાણકારી મળી હતી.
સૂત્રના આધારે જમ્મુ-કાશ્મીર પોલીસે મંગળવારે મોડી રાતે હાઝિન વિસ્તારમાં આતંકવાદીઓને ઘેરી લીધા હતા. સેના અને આતંકવાદીઓ વચ્ચે આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યાથી સામ સામે ગોળીબાર થઈ રહ્યો હતો. ત્યારથી જ અહીંયા 3થી 4 આતંકીઓ છુપાયા હોવાની આશંકા હતી.
Next Story