Connect Gujarat
દેશ

જમ્મુ કાશ્મીર : સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થઈ અથડામણ,2 આતંકી ઠાર,4 જવાન શહીદ

જમ્મુ કાશ્મીર : સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થઈ અથડામણ,2 આતંકી ઠાર,4 જવાન શહીદ
X

જમ્મૂ-કાશ્મીરના હંદવાડામાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણમાં બે સીઆરપીએફના જવાન અને જમ્મૂ-કાશ્મીર પોલીસના બે પોલીસકર્મી શહીદ થઇ ગયા છે. આ હુમલામાં અન્ય જવાન ઘાયલ થયો છે, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે ઘર્ષણ હાલમાં પણ ચાલુ છે.

અત્તરી કાશ્મીરના કુપવાડા સ્થિત હંદવાડા સેક્ટરમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે સવારથી આ અથડામણ ચાલુ છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, સુરક્ષાકર્મીઓ પર આ હુમલો એન્કાઉન્ટર બાદ કાટમાળની તલાસી દરમિયાન થયો. કાટમાળથી અચાનક એક આતંકવાદી નિકળ્યો અને તેને સુરક્ષાકર્મીઓ પર ફાયરિંગ કરી દીધુ.

આ પહેલા સવારે જ સુરક્ષાબળોએ અથડામણમાં બે આંતકીઓને મોતને ઘાટ ઉચાર્યા. સુરક્ષાબળોને અહિંયાથી ત્રણ આતંકીઓના સંતાયા હોવાના ઇનપુટ મળ્યા હતાં. આતંકવાદીઓની હાજરીની ખુફીયા જાણકારી મળ્યા બાદ સુરક્ષાબળોએ કુપવાડા જિલ્લામાં બાબાગુંડમાં ઘેરાબંધી કરી તલાશ અભિયાન શરૂ કર્યુ હતું

Next Story