જાણો ગુજરાતમાં ક્યારે અને ક્યાં આવી રહ્યા છે અર્જુન કપૂર અને પરિણીતી ચોપરા
સંસ્કારી નગરી ના મહેમાન બનશે અર્જુન કપૂર અને પરિણીતી ચોપરા
અર્જુન કપૂર અને પરિણીતી ચોપરા ગુજરાતમાં ગરબે ઘૂમવા આવી રહ્યા છે. નવરાત્રિ શરૂ થઈ ચૂકી છે, અને ગુજરાતના ગરબા દરેક લોકોને આકર્ષે છે, ત્યારે બોલીવુડ સ્ટાર્સ પણ ગરબા પ્રેમથી બાકાત નથી.
અર્જુન કપૂર અને પરિણીતી ચોપરા હાલ તેમની અપકમિંગ ફિલ્મ નમસ્તે ઈંગ્લેન્ડના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મને પ્રમોટ કરવાની સાથે સાથે ગરબે ઘૂમવા આ સ્ટાર જોડી વડોદરા આવી રહી છે. દશેરાના દિવસે રિલીઝ થઈ રહેલી નમસ્તે ઈંગ્લેન્ડ ફિલ્મથી વિપુલ શાહ ફરી ડિરેક્શનમાં કમબેક કરી રહ્યા છે, ત્યારે ફિલ્મના પ્રમોશનમાં પણ કોઈ કસર ન થઈ છોડાઈ રહી.
ફિલ્મના પ્રમોશન માટે વડોદરા આવી રહેલા અર્જૂન કપૂર અને પરિણીતી ચોપરા વડોદરાની મુલાકાત લેશે, સાથે જ ગરબામાં પણ ભાગ લેશે. અર્જુન કપૂર વડોદરાના એનઆરઆઈ માટે ફેમસ ધર્મજ ગામની મુલાકાત પણ લે તેવી શક્યતા છે.
ઈશકઝાદેમાં ડેબ્યુ કર્યા બાદ અર્જૂન કપૂર અને પરિણીતી ચોપરાની જોડી નમસ્તે ઈંગ્લેન્ડમાં ફરી સાથે આવી રહી છે. નમસ્તે ઈંગ્લેન્ડ પહેલા નમસ્તે લંડન સુપરહિટ સાબિત થઈ રહી છે, ત્યારે દર્શકો પણ આ સિક્વલને લઈ ઉત્સાહિત છે.