જાણો ભરૂચમાં ક્યાં આવશે બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન
BY Connect Gujarat26 Nov 2016 12:12 PM GMT
X
Connect Gujarat26 Nov 2016 12:12 PM GMT
બોલીવુડના કિંગ શાહરુખ ખાન સામે તેઓની આગામી ફિલ્મ "રઇસ" ને લઈને અમદવાદમાં ભારે વિરોધ થયો હતો,જોકે આગામી સમયમાં રઇસ ફિલ્મના પ્રમોશન અર્થે કિંગ ખાન ભરૂચ આવશે તેમ જાણવા મળ્યુ છે.
TV ના નાના પડદાથી અભિનયની શરૂઆત કરનાર શાહરુખ ખાને દિવાના ફિલ્મથી બોલીવુડમાં ફિલ્મ ક્ષેત્રે અભિનયના ઓઝસ પાથર્યા હતા,અને ત્યારથી લઈને વર્તમાન સમયમાં અનેક સુપર હિટ ફિલ્મો થકી કિંગ ખાને મહત્વના એવોર્ડ પણ પોતાના નામે કર્યા છે.
રઇસ ફિલ્મના પ્રમોશન અર્થે શાહરુખ ખાન ભરૂચમાં આવીને ભરૂચના મહત્વના અને જાણીતા સ્થળોની મુલાકાત પણ લેશે,તેમજ આ ઉપરાંત શહેરના મોલ માં પણ હાજરી આપીને ફિલ્મના પ્રમોશન કરશે.
વધુમાં કિંગ ખાન ભરૂચની સાથે અંકલેશ્વરની એક જાણીતી થિયેટરમાં પણ હાજરી આપશે તેમ જાણવા મળ્યુ છે.
Next Story