Connect Gujarat
ગુજરાત

જામનગર : દરબારગઢ પોલીસચોકીએ વેપારીઓ ભેગા થઈ બબાલ કરતાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો

જામનગર : દરબારગઢ પોલીસચોકીએ વેપારીઓ ભેગા થઈ બબાલ કરતાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો
X

જામનગરના અતિ ગીચ અને ટ્રાફિક ધરાવતા બરધન ચોક વિસ્તારમા ટ્રાફિક પોલીસ દ્વારા વાહનો ટોઇંગ કરવાની બાબતે ઉગ્ર બોલાચાલી બાદ મામલો વધુ બીચકાયો હતો. બર્ધનચોક નજીક આવેલ દરબારગઢ પોલીસચોકી એ વેપારીઓ ભેગા થઈ બબાલ કરતાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જ્યારે જિલ્લા પોલીસવડાને આ અંગે પૂછતા તેમણે સ્પષ્ટ લાઠીચાર્જ ની વાતને સ્વીકારવાની ના પાડી હતી.

જામનગરના બર્ધનચોક સિંધી માર્કેટ નજીક ટ્રાફિક પોલીસ દ્વારા ટોઈંગવાન વાહનો ઉપાડવા માટે ગયું હતું,ત્યારે વેપારીઓ અને પોલીસ વચ્ચે વાહન ઉપાડવા બાબતે ઉગ્ર બોલાચાલી થઇ હતી. વેપારીઓ પર પોલીસે હાથ ઉપાડ્યાનો આક્ષેપ પણ થઇ રહ્યો હતો,તેવામાં જોતજોતામાં વેપારીઓનું ટોળું પોતાની દુકાનો બંધ કરી દરબારગઢ પોલીસ ચોકી ખાતે પહોચ્યું હતું,અને ત્યાં ચર્ચાઓ ચાલી રહી હતી તે દરમિયાન પોલીસ દ્વારા અચાનક હાજર ટોળાને વિખેરી નાખવા લાઠીચાર્જ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં અફડાતફડીના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યા હતા,

આ ઘટનાને પગલે જામનગરના વેપારી આલમમાં પણ રોષ વ્યાપી જવા પામ્યો હતો. અને વેપારી મંડળના પ્રમુખ સહિતના પોલીસ ચોકી દોડી આવ્યા હતા. અને જિલ્લા પોલીસવડા શરદ સિંઘલ પણ દરબારગઢ પોલીસચોકી ખાતે દોડી આવ્યા હતા. જિલ્લા પોલીસવડા શરદ સિંઘલ અને વેપારીઓ વચ્ચે લાંબી ચર્ચા બાદ બંને વચ્ચે સમાધાન થયું હતું. જ્યારે પોલીસવડા શરદ સિંઘલ એ જણાવ્યુ હતું કે આ બબાલ માં કોઈપણ વેપારી વિરુધ્ધ કોઈ ગુન્હો નોંધવામાં નથી આવ્યો જ્યારે જિલ્લા પોલીસવડા ને લાઠી ચાર્જ અંગે પુછ્યું તો તેમણે જણાવ્યુ હતું કે લાઠી ચાર્જ કરવામાં જ નથી આવ્યો તેવું સ્પષ્ટ જણાવ્યુ હતું. જ્યારે વેપારીઓને પોલીસ દ્વારા લાઠી મારવામાં આવે છે તેવું કેમેરામાં સ્પષ્ટ દેખાઈ આવે છે

Next Story