Connect Gujarat
ગુજરાત

જામનગર: લાખાબાવળ પાસે નેચર ક્યોર રિસર્ચ સેન્ટરનું કેન્દ્રના કૃષિપ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ કર્યું લોકાર્પણ

જામનગર: લાખાબાવળ પાસે નેચર ક્યોર રિસર્ચ સેન્ટરનું કેન્દ્રના કૃષિપ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ કર્યું લોકાર્પણ
X

જામનગર નજીક આવેલ લાખાબાવળ પાસે નેચર ક્યોર રિસર્ચ સેન્ટરનું કેન્દ્રના કૃષિપ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે કૃષિપ્રધાન રૂપાલાએ કોંગ્રેસમાંથી ભાજપમાં આવતા નેતાઓને લઈને પણ નિવેદન આપ્યું હતું.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="86834,86835,86836,86837,86838,86839,86840,86841,86842,86843,86844,86845,86846,86847,86848,86849,86850"]

જામનગરની ભાગોળે આવેલા લાખબાવળ ગામે ઓશવાલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લીલાવતી નેચરક્યોર રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરાયું છે.કેન્દ્રના કૃષિપ્રધાન પુરૂસોત્તમ રૂપાલા દ્વારા આજે આ સેન્ટરનું લોકાર્પણ કરાયું છે. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી દ્વારા આ નેચરોપેથી સેન્ટરને માં અમૃતમ યોજનામાં સામેલ કરવા પણ માગણી કરાઈ છે.

જામનગર આવેલા કેન્દ્રીય કૃષિ મંત્રી પુરષોતમ રૂપાલાએ લીલાવતી નેચરક્યોર રિસર્ચ સેન્ટર લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે અને આ જમાનામાં લોકોને શાંતિ અને નિરોગીમયી બનવા નેચરલ પદ્ધતિથી સારવાર ખૂબ ઓછી મળતી હતી. હવે છેવાડે આવેલ જામનગરને પણ આ લાભ મળવા જઈ રહ્યો છે.તે અંગે રૂપાલાએ ખુશી વ્યક્ત કરી હતી.

Next Story