Connect Gujarat
ગુજરાત

જીવન દેવાની આપણી ક્ષમતા ન હોય તો જીવન લેવાનો પણ અધિકાર નથી,જણાવતા સીએમ રૂપાણી

જીવન દેવાની આપણી ક્ષમતા ન હોય તો જીવન લેવાનો પણ  અધિકાર  નથી,જણાવતા સીએમ રૂપાણી
X

ભરૂચ ખાતે પ.પૂ.આચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજન પદ્મભૂષણ એવોર્ડ અર્પણ પ્રસંગે સીએમ વિજય રૂપાણી એ ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશોને યાદ કરીને જણાવ્યુ હતુ કે નાનામાં નાના જીવની પણ ચિંતા જૈન સમાજ કરે છે.

IMG-20170413-WA0041

સીએમ રૂપાણીએ વધુમાં જૈન બંધુઓ ને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે ભગવાન મહાવીર સ્વામીએ વિશ્વને સત્ય , અહિંસા, અપરિગ્રહનો સંદેશ આપ્યો છે. જૈન સમાજ નાનામાં નાના જીવની ચિંતા કરે છે.

IMG-20170413-WA0042

વધુમાં સીએમ રૂપાણીએ જીવન દેવાની આપણી ક્ષમતા ન હોય તો જીવન લેવાનો પણ આપણને કોઈ અધિકાર નથી. અને તેઓએ જૈન આચાર્ય શ્રી રત્નસુંદર સુરીશ્વરજી મહારાજને પદ્મભૂષણ એવોર્ડ સન્માન મળવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

Next Story