જીવન દેવાની આપણી ક્ષમતા ન હોય તો જીવન લેવાનો પણ અધિકાર નથી,જણાવતા સીએમ રૂપાણી
BY Connect Gujarat13 April 2017 10:33 AM GMT
X
Connect Gujarat13 April 2017 10:33 AM GMT
ભરૂચ ખાતે પ.પૂ.આચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજન પદ્મભૂષણ એવોર્ડ અર્પણ પ્રસંગે સીએમ વિજય રૂપાણી એ ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશોને યાદ કરીને જણાવ્યુ હતુ કે નાનામાં નાના જીવની પણ ચિંતા જૈન સમાજ કરે છે.
સીએમ રૂપાણીએ વધુમાં જૈન બંધુઓ ને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે ભગવાન મહાવીર સ્વામીએ વિશ્વને સત્ય , અહિંસા, અપરિગ્રહનો સંદેશ આપ્યો છે. જૈન સમાજ નાનામાં નાના જીવની ચિંતા કરે છે.
વધુમાં સીએમ રૂપાણીએ જીવન દેવાની આપણી ક્ષમતા ન હોય તો જીવન લેવાનો પણ આપણને કોઈ અધિકાર નથી. અને તેઓએ જૈન આચાર્ય શ્રી રત્નસુંદર સુરીશ્વરજી મહારાજને પદ્મભૂષણ એવોર્ડ સન્માન મળવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.
Next Story