Connect Gujarat
ગુજરાત

જુનાગઢ: વૈષ્ણવાચાર્ય વૃજભૂષણલાલજી મહારાજ ના શતાબ્દી મહોત્સવ નિમિત્તે યોજાયો ઓસ્ટોયેપેથી નિદાન કેમ્પ

જુનાગઢ: વૈષ્ણવાચાર્ય વૃજભૂષણલાલજી મહારાજ ના શતાબ્દી મહોત્સવ નિમિત્તે યોજાયો ઓસ્ટોયેપેથી નિદાન કેમ્પ
X

જુનાગઢના રેડક્રોસ સોસાયટી આઝાદચોક ખાતે વૈષ્ણવાચાર્ય વૃજભૂષણલાલજી મહારાજ ના શતાબ્દી મહોત્સવ નિમિત્તે ઓસ્ટોયેપેથી નિદાન કેમ્પ યોજાયો હતો.

વૈષ્ણવાચાર્ય વૃજભૂષણલાલજી મહારાજ ના પ્રાગટ્યને ૧૦૦ વર્ષ પુરા થતા જુનાગઢ જીલ્લા ભરમાં ૪ દિવસ માટે શતાબ્દી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગ રૂપે આજરોજ રેડક્રોસ ખાતે જોધપુરના મશહુર ઓસ્ટિયોપેથી ડો ગોવર્ધનલાલ પારાસર આવેલ હોય તેમના અધ્યક્ષે આ નિદાન કેમ્પ નિશુલ્ક રાખવામાં આવેલ હતો.

આ નિદાન કેમ્પ આવતી કાલ સુધી ચાલુ રહેશે જેમાં હજારો દર્દીઓને એકયુપ્રેસર સારવાર થી વગર દવાઓ દર્દીઓને સારવાર આપી સાજા કરવામાં આવેલ હતા આ કેમ્પમાં જાનવીવેન ગૌરાંગભાઇ રાજકોટના ડો.મુકેશભાઇ છત્રાળા (કંસારા) ડો.હરેશભાઇ છત્રાળા હાજર રહેલ અને દર્દીઓને સારવાર આપી ગો. વૃજભૂષણલાલજી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવેલ હતો.

Next Story