Connect Gujarat
ગુજરાત

જૂનાગઢ: ગાંઠીલા ગામની ચોકડી નજીક કાર અકસ્માતમાં પાંચ લોકોના મોત, બે ગંભીર

જૂનાગઢ: ગાંઠીલા ગામની ચોકડી નજીક કાર અકસ્માતમાં પાંચ લોકોના મોત, બે ગંભીર
X

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ગાંઠીલા ગામની ચોકડી પાસેથી પસાર થઇ રહેલી કારના ચાલકે સ્ટીયરીંગનો કાબુ ગુમાવતાં ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં કારમાં સવાર પાંચ લોકોના ઘટનાસ્થળે અરેરાટીભર્યા મોત થયાં હતાં જયારે બે લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, જૂનાગઢના ગાંઠીલા પાસેથી પસાર થતી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પુલ સાથે અથડાઇને પલ્ટી મારી ગઇ હતી. આ ઘટનામાં કારમાં સવાર 7 લોકોમાંથી પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે બે લોકોને ગંભીર ઈજા થતાં તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ઘટનાનાં પગલે કારને તોડીને પાંચેયનાં મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં હતા.

પાંચેય મૃતકનાં મૃતદેહોને પીએમ માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે અને પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતનો ભોગ બનેલી કાર ફોર્ડ એન્ડેવર કાર હતી. ફોર્ડ એન્ડેવર કારના (GJ-11-CD-0001) ચાલક ઇશાન્ત ચંદાણીએ સ્ટીરિંગ પર કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત થયો હતો. ઘટનામાં મોતને ભેટનાર વ્યક્તિઓમાં ઇશાંત સલીમભાઈ ચંદાણી (ઉંમર-19), એઝાઝ ફિરોઝભાઈ ચંદાણી (ઉંમર-25), ભાવિક કાળુભાઇ મકવાણા (ઉંમર-24), પાયલબેન વિનોદભાઈ લાઠીયા (ઉંમર-20) અને કુંજનબેન પ્રદીપગીરી અપારનાથી (ઉંમર-20)નો સમાવેશ થાય છે. જ્યારે સુનિલ સોલંકી (ઉંમર-24) અને સમન સલીમભાઈ મીર (ઉંમર- 15)ની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

Next Story