જૂની નોટો જમા કરાવવા પર નહિ મળે ટેક્ષ માફી : અરુણ જેટલી
BY Connect Gujarat9 Nov 2016 1:19 PM GMT
X
Connect Gujarat9 Nov 2016 1:19 PM GMT
કેન્દ્ર સરકારે કાળું નાણું ભ્રષ્ટાચાર અને નકલી નોટો પર લગામ લગાવવા માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં 500 અને 1000ની નોટો બંધ કરવામાં આવી છે.અને તેને 10 નવેમ્બર થી લઈને 30 ડિસેમ્બર સુધી બેંક અને પોસ્ટમાં જમા કરવાનું જાહેર કર્યું છે.
આ અંગે એવી અફવા સર્જાઈ છે કે નાણાં જમા કરાવવા પર ટેક્ષ માંથી માફી મળશે પરંતુ આ વાતને નાણાંમંત્રી અરુણ જેટલીએ સંપૂર્ણરીતે નકારી કાઢી છે.
આ સાથે નાણાંમંત્રી અરુણ જેટલીએ સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે આ કોઈ ટેક્ષ માફીની યોજના નથી. 500 અને 1000 ની નોટ જમાકરાવવા પર ટેક્ષ તો ભરવો જ પડશે તેમાં કોઈ પણ પ્રકારે રાહત આપવામાં નહિ આવે.પરંતુ જૂની નોટો જમા કરાવીને તેના બદલામાંનવી નોટો મેળવી શકાશે.
Next Story