જેતપુર : શ્રીરામ જન્મોત્સવ લઈને યુવાનો દ્વારા વિશાળ બાઇક રેલીનું કરાયું આયોજન
BY Connect Gujarat13 April 2019 3:54 PM GMT
X
Connect Gujarat13 April 2019 3:54 PM GMT
જેતપુરમાં શ્રી રામ જન્મોત્સવને વધુ યાદગાર બનાવવા યુવાનો દ્વારા શહેરના રાજમાર્ગો પર બાઇક રેલી કાઢી જનજાગૃતિ સંદેશો અપાયો.
જેતપુરમાં આજે એક વિશાળ બાઇક રેલીનું આયોજન હાથ ધરાયું હતું. જેમાં તમામ જ્ઞાતિમંડળ, ગરબી મંડળ, ગણેશ ઉત્સવ મંડળ, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ સહિતના તમામ ધર્મપ્રેમી જનતા પોત પોતાના બાઇક લઇને શહેરના રાજમાર્ગો ઉપર રેલી કાઢવામાં આવી હતી. જનજાગૃતિ અને હિન્દુ સંસ્કૃતિનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. આ રેલી જેતપુર શહેરના ખાખામઢી હનુમાન મંદિરથી પ્રારંભ થઇ હતી. શહેરના રાજમાર્ગો ઉપર ફરી જેતપુર નવાગઢમાં મંદિર ખાતે પુર્ણ થઇ હતી. આ રેલીમાં તમામ બાઇક સવારને 'જય શ્રી રામ' ના નારા વાળી ઝંડી આપવામાં આવી હતી. અને એક વિશાળ બાઇક રેલી કાઢી હતી.
Next Story