Connect Gujarat
દેશ

ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેશે, BCCIએ આપી મંજૂરી

ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેશે, BCCIએ આપી મંજૂરી
X

બીસીસીઆઇએ સ્પેશિયલ જનરલ મિટિંગમાં સર્વ સંમતિથી આગામી 1 જૂનથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાનાર આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં ભાગ લેવાનો નિર્ણય લીધો છે, અને હવે નવી દિલ્હીમાં પસંદગીકારો ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમ જાહેર કરશે.

સંચાલકોની સમિતિના અધ્યક્ષ વિનોદ રાયે બીસીસીઆઈના ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવાના નિર્ણયથી આનંદ વ્યક્ત કર્યો હતો,આ નિર્ણયથી નક્કી થઈ ગયુ હતુ કે કોચ અનિલ કુંબલે અને કેપ્ટ્ન વિરાટ કોહલીની આગેવાની હેઠળ ભારતીય ટીમ ચોક્કસ ઈંગ્લેન્ડ અને વેલ્સનો પ્રવાસ કરશે.

આઇસીસીએ પણ બીસીસીઆઈની એસજીએમના ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવાના નિર્ણયને આવકાર્યો હતો, આઇસીસીએ પોતાના નિવેદનમાં જણાવ્યુ હતુ કે વિશ્વમાં ક્રિકેટના હજારો પ્રશસંકો શ્રેષ્ઠ ક્રિકેટ નિહાળવા માંગે છે, અને હવે આપણે 1 જૂનથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાનાર એક શાનદાર ટુર્નામેન્ટની રાહ જોવી જોઈએ.

Next Story