Connect Gujarat
ગુજરાત

દહેજ બાયપાસ વિસ્તારમાં પાંચ જેટલાં મકાનોને નિશાન બનાવતાં તસ્કરો

દહેજ બાયપાસ વિસ્તારમાં પાંચ જેટલાં મકાનોને નિશાન બનાવતાં તસ્કરો
X

નવજીવન સોસાયટીના મકાન માલિકો દ્વારા હજુ સુધી કોઈ પણ પોલીસ ફરીયાદ નોંધવામાં આવી નથી

ભરૂચ શહેર બાયપાસ વિસ્તારોમાં આવેલી નવજીવન સોસાયટીમાં ગતરોજ નિશાચરો દ્વારારા પાંચ જેટલાં મકાનોને તસ્કરોએ નિશાન બનાવતાં સમગ્ર સોસાયટી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

બનાવ ની મળતી માહિતી મુજબ ગત રાતથી વરસતા વરસાદમાં લોકો પોતાના ઘરોમા ચેનની ઊંઘ લેતા હતા ત્યારે ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલી નવજીવન સોસાયટીમાં ગત રાત્રીના ત્રાટકેલા ચોરોએ સોસાયટીના પાંચ જેટલા મકાનોને નિશાન બનાવી અંદર પ્રવેશ કરી તિજોરી તોડી હજરોના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતાં.

જો કે નવજીવન સોસાયટીમાં દિવસ રાત ગેટ પર વોચમેન હોય છે.પરંતુ ચોર સોસાયટીની કમ્પાઉન્ડ ની દિવલનો તાર કાપીને અંદર પ્રવેશ્યા હોવાનું અનુમાન લગાવાય છે.ચોરીના બનાવ અંગેની જાણ એ ડિવિઝન પોલીસ મથકે થતા પોલીસ કાફલો દ્વારા ચોરી વાળી જગ્યા એ પહોંચી ચોરી અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બે મકાન માલિકો બહાર હોઈ અને બીજા નવજીવન સોસાયટીના મકાન માલિકો દ્વારા હજુ સુધી કોઈ પણ પોલીસ ફરીયાદ નોંધવામાં આવી નથી.

Next Story