Connect Gujarat
દેશ

દિલ્હીમાં ઓડ - ઇવનની ફોર્મ્યુલા સોમવાર થી લાગુ નહિ થાય 

દિલ્હીમાં ઓડ - ઇવનની ફોર્મ્યુલા સોમવાર થી લાગુ નહિ થાય 
X

દિલ્લીમાં પ્રદુષણને ધ્યાનમાં રાખીને ઓડ - ઈવન સ્કીમ લાગુ કરવા માટે બે દિવસથી નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ દ્વારા સુનાવણી પણ કરવામાં આવી રહી છે. બીજા દિવસની સુનાવણી પછી એનજીટીએ સોમવારથી દિલ્હીમાં શરતો સાથે ઓડ - ઈવન લાગુ કરવાની મંજૂરી આપી હતી. પરંતુ હવે દિલ્હી ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર કૈલાશ ગેહલોતે કહ્યું છે કે, દિલ્હી સરકાર સોમવારથી ઓડ-ઈવન સ્કીમ લાગુ નહીં કરે અને આ મામલે ફરી તેઓ સોમવારે NGTમાં જશે.

સુનાવણી દરમિયાન NGTએ દિલ્હી સરકારની ઝાટકણી કર્યા પછી અને ઘણા સવાલો ઊભા કર્યા પછી અમુક શરતો સાથે ઓડ - ઈવનને મંજૂરી આપી છે. NGTએ દિલ્હીમાં સોમવારથી પાંચ દિવસ માટે ઓડ-ઈવન સ્કીમ લાગુ કરવાની મંજૂરી આપી હતી.

જોકે આ સ્કીમમાં ટૂ-વ્હીલર વાહનો, મહિલાઓ અને VVIPને પણ છૂટ આપવામાં આપી નહતી. તે સમયે સરકારે પણ શરતો અને કાયદાનું પાલન કરીને સ્કીમ શરૂ કરવાનો વિશ્વાસ આપ્યો હતો.

Next Story