Connect Gujarat
ગુજરાત

દ્વારકા: ધુમલી ગામે મંદિર ના પૂજારી ની કરપીણ હત્યા : રોકડ રકમ અને દાનપેટી ની લૂટ

દ્વારકા: ધુમલી ગામે મંદિર ના પૂજારી ની કરપીણ હત્યા : રોકડ રકમ અને દાનપેટી ની લૂટ
X

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક આવેલ ઘુમલી ગામે આશાપુરા માતાજી ના મદિરે મંદિરના પૂજારીની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર વિસ્તાર ભયભીત બન્યો છે.

ગત મોડી રાત્રે બનેલા આ બનાવ માં આશાપુરા મંદિર ના પૂજારી ની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે અને મંદિર માં મૂકેલી દાનપેટી તેમજ ચાંદી ના છત્ર સહિત કેટલીક રોકડ રકમ લઈ તસ્કરો ફરાર થઈ ગયા હતા, પ્રથમ નજરે આ ઘટના ને જોતાં લૂટ ના ઇરાદે હત્યા કરી હોવાનું જ્ણાઈરહ્યું છે,મંદિર ના પૂજારી ની હત્યા કોઈ તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવી છે ત્યારે આ મંદિર ડુંગર ની ટેકરી પર આવેલ હોઈ જેથી આરોપી ને પકડવા પોલીસ ને મોટો પડકાર આવ્યો છે ,હાલ પોલિસે ઘટના સ્થળે પોહચી ને સમગ્ર ઘટના ની તપાસ હાથ ધરી છે.

Next Story