Connect Gujarat
ગુજરાત

ધો.10નું પરિણામ આવે તે પહેલાં જ રાજકોટમાં વિદ્યાર્થીનો આપઘાત

ધો.10નું પરિણામ આવે તે પહેલાં જ રાજકોટમાં વિદ્યાર્થીનો આપઘાત
X

આગામી 28મી તારીખે ધોરણ 10નું પરિણામ જાહેર થવાનું છે. તે પહેલાં જ પરિણામનું શું થશે તેની ચિંતામાં રાજકોટમાં એક વિદ્યાર્થીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. દર વર્ષે નાપાસ થવાનો ડર કે પછી ઓછી ટકારવારીના ડરને લઇને આવા બનાવો બનતા રહે છે.

રાજકોટ શહેરના મોટામવા ગામે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો જય અરવિંદભાઇ નળિયાપરાએ હોસ્ટેલમાં મિત્રોને મળવા જવાનું કહી ઝેરી દવા પી લીધી હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરનાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પિતા અરવિંદભાઇ મજૂરી કામ કરે છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખેસેડવામા આવ્યો છે. પરિણામની ચિંતા જ મોતનું કારણ છે કે પછી અન્ય કોઇ કારણ જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. હોસ્ટેલમા દવા પી લીધી હોવાનુ જાણવા મળી રહ્યું છે, હોસ્ટેલમાં મિત્રને મળવા ગયો અને દવા પી લીધી હતી.

Next Story