Connect Gujarat
દુનિયા

ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં થયો ગોળીબાર: છના મોત, અનેક ઈજાગ્રસ્ત

ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં થયો ગોળીબાર: છના મોત, અનેક ઈજાગ્રસ્ત
X

ન્યૂઝીલેન્ડની એક મસ્જિદમાં ગોળીબાર થયો હોવાની ઘટના સામે આવી રહી છે. જેમાં છ લોકોએ પોતાના જીવ ગુમાવ્યો છે.આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી પણ મળી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે હુમલાખોર હજી પણ સક્રિય છે. દુર્ઘટના બાદ ચારેય તરફ દોડ-ભાગ મચી ગઈ છે.

ત્યાંના અધિકારી જણાવ્યુ હતું કે, ‘ક્રાઈસ્ટચર્ચની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. અહીં એક શૂટર ઘુસી આવ્યો છે જે હજી પણ સક્રિય છે. પોલીસ તેને ઠાર કરવાના શક્ય તેટલા બધા જ પ્રયત્નો કરી રહી છે પરંતુ હજી પણ પરિસ્થિતિ પોલીસના હાથની બહાર છે.

સ્થાનિક મીડિયા અનુસાર જ્યારે મસ્જિદમાં ગોળીબાર થયો ત્યારે મસ્જિદમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. આ ઘટનાના કારણે બીજી મસ્જિદમાંથી લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે, આ દુર્ઘટના સમયે ત્યાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ હાજર હતા.

Next Story