Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : સસ્તા અનાજની દુકાનના સંચાલકે આયોડાઈઝ મીઠું વરસાદી માહોલમાં દુકાન બહાર મૂકતા લોકોમાં રોષ

પંચમહાલ : સસ્તા અનાજની દુકાનના સંચાલકે આયોડાઈઝ મીઠું વરસાદી માહોલમાં દુકાન બહાર મૂકતા લોકોમાં રોષ
X

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં પરવડી ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાનના સંચાલકની લાપરવાહી સામે આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.

ગોધરા તાલુકામાં પરવડી ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાનના સંચાલકે સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવતું ગરીબ લોકોનું આયોડાઈઝ મીઠું દુકાનમાં રાખવાને બદલે બહાર મુકવામાં આવે છે. તેમજ ગરીબોને વિતરણ કરવાને બદલે વરસાદની સીઝનમાં બહાર ખુલ્લામાં રાખી બગાડ કરવામાં આવી રહયો છે, તેમજ આ આયોડાઈઝ મીઠું ગરીબ લોકોને આપવા માટે સરકાર ફાળવણી કરતી હોય પરંતુ ગરીબો સુધી નહિ પહોંચાડી અન્યાય કરવામાં આવી રહયો હોય તેવું લાગી રહયું છે. આ આયોડાઈઝ મીઠુંનો વ્યય થઈ બગાડ થવાના પગલે ગ્રામજનોમાં સસ્તા અનાજની દુકાનના સંચાલક સામે રોષ જોવા મળ્યો હતો.

Next Story