Connect Gujarat
ગુજરાત

પત્નીને તેડી લાવવા દબાણ કરતા માતા-પિતા પર પુત્રનો હુમલો : પિતાનું મોત

પત્નીને તેડી લાવવા દબાણ કરતા માતા-પિતા પર પુત્રનો હુમલો : પિતાનું મોત
X

અરવલ્લી જિલ્લાના વડાગામ ખાતેના રાવળ વાસમાં નરાધમ પુત્રે તેની પત્નીને તેડી લાવવા જેવી સામાન્ય બાબતમાં તેના માતા-પિતા પર બેરહેમી પૂર્વક કપડાં ધોવાના ધોકા વડે હુમલો કરતા ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં પિતાના માથાના ભાગે ધોકાનો ઘા કરતા પિતા ઘર વચ્ચે ફસડાઈ જતા ઘરમાં જ મોત ને ભેટ્યા હતા. હુમલામાં માતા ના શરીરે ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ધનસુરા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પુત્રએ પિતાની હત્યા કરતા સનસનીખેજ ઘટનાની જાણ ધનસુરા પોલીસને થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી હત્યારા પુત્રને ઝડપી પડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

વડગામમાં રાવળ વાસમાં રહેતા અને કડિયાકામ કરી જીવનિર્વાહ ચલાવતા નાનજી ભાઈ ઉકળ ભાઈ વસાવા તથા તેમના પત્ની સવિતા બેન તેમના પુત્રો સાથે રહેતા હતા. તેમના બીજા નંબરના પુત્ર અશ્વિન વસાવાના લગ્ન કરાવ્યા પછી ચાર બાળકોનો પિતા બન્યા પછી તેના ઝગડાળુ સ્વભાવના પગલે પત્ની રિસાઈને ૪ બાળકો સાથે પિયર જતી રહી હતી. પત્નીને ઘરે પરત લાવવા આરોપી અશ્વિનને તેના માતા-પિતા સમજાવતા તાં જોકે અશ્વિન અચાનક ઉશ્કેરાઈ જઈ કપડાં ધોવાના ધોકા વડે બેરહેમી પૂર્વક માતા-પિતા પર તૂટી પડતા તેના પિતા નાનજી ભાઈ ઉકળ ભાઈને માથાના ભાગે જીવલેણ ફટકા મારતા ઘર વચ્ચે લોહીલુહાણ હાલતમાં ફસડાઈ જતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. તેની માતા સવિતાબેનના શરીરે પણ ગંભીર ઈજાઓ પહોંચતા આજુબાજુ થી દોડી આવેલા લોકોએ અને નાના દીકરા રાજુભાઈ સવિતા બેનને સારવાર અર્થે દવાખાને ખસેડી ધનસુરા પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે દોડી આવી મૃતક નાનજીભાઈ ની લાશને પીએમ માટે ખસેડી હત્યારા પુત્રને ઝડપી પાડ્યો હતો.

ઘટનાની ગંભીરતા જોઇ ધનસુરા પોલીસે રાજુભાઈ નાનજીભાઈ વસાવા ની ફરિયાદના આધારે અશ્વિન નાનજીભાઈ વસાવા સામે ઇપીકો કલમ-૩૦૨,૩૨૩, તથા જીપીએકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી.

Next Story