Connect Gujarat
દુનિયા

પાકિસ્તાને કર્યો દાવો, ઇન્ડિયન એરફોર્સે કર્યો આડેધડ બોમ્બમારો. કોઈ નુકસાન થયું નહિ

પાકિસ્તાને કર્યો દાવો, ઇન્ડિયન એરફોર્સે કર્યો આડેધડ બોમ્બમારો. કોઈ નુકસાન થયું નહિ
X

ઇન્ડિયન એરફોર્સે મંગળવારે મળસકે સાડા ત્રણ વાગ્યે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના બાલાકોટ નજીક ત્રાસવાદી કેમ્પો પર બોમ્બ મારો કર્યા હતો. ત્યાર બાદ પાકિસ્તાની આર્મીએ જણાવ્યુ હતું કે ઇન્ડિયન એરફોર્સ મુઝફરાબાદ તરફથી પાકિસ્તાનમાં ઘુસ્યાં હતા. જોકે પાકિસ્તાની એરફોર્સને એલર્ટ મળી જતાં તેમણે કાર્યવાહી કરી હતી.

[gallery size="large" td_select_gallery_slide="slide" ids="85661,85662,85663,85664"]

આ કાર્યવાહી દરમિયાન ઇન્ડિયન એરફોર્સે આડેધર બોમ્બ ફેકયા હતા. ભારતના બોમ્બમારામાં કોઈ નુકસાન થયું નહીં હોવાનો દાવો પણ ગફુરે કર્યો હતો. આ સાથે તેમણે કેટલાક ફોટોગ્રાફ્સ પણ ટ્વિટર પર શેર કર્યા હતા, જે ભારતના બોમ્બમારાથી સર્જાયેલા ખાડાના હોવાનું દેખાય રહિયું છે.

Next Story