પૂર્વ નાણાં મંત્રી અરૂણ જેટલીની તબિયત નાજુક, પીએમ મોદી અને અમિત શાહ પહોંચ્યા એઇમ્સ
BY Connect Gujarat16 Aug 2019 6:19 PM GMT
X
Connect Gujarat16 Aug 2019 6:19 PM GMT
પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીના ખબરઅંતર પૂછવા માટે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ પહોંચ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અરૂણ જેટલી છેલ્લા ઘણા સમયથી બીમાર છે. અરૂણ જેટલી 9 ઓગસ્ટથી એઈમ્સમાં સારવાર લઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જેટલીની તબિયત પુછવા માટે એઈમ્સ પહોંચ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના ખબરઅંતર પુછવા માટે એઈમ્સ પહોંચ્યા હતા. અરૂણ જેટલી છેલ્લા બે વર્ષથી બિમાર છે. ગત વર્ષે જેટલીએ એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. ત્યારબાદ જેટલીના ડાબા પગમાં સૉફ્ટ ટિશૂ કેન્સર થઈ ગયું છે. જેની સર્જરી માટે તેઓ આ વર્ષે જ જાન્યુઆરીમાં અમેરિકા પણ ગયા હતા.
Next Story