Connect Gujarat
દેશ

પેટાચૂંટણીનાં પરિણામ: મહાગઠબંધન સામે BJP ઘુંટણીયે, કૈરાનામાં RLD આગળ

પેટાચૂંટણીનાં પરિણામ: મહાગઠબંધન સામે BJP ઘુંટણીયે, કૈરાનામાં RLD આગળ
X

કૈરાના સીટ પર 73, મહારાષ્ટ્રમાં ભંડારા-ગોંદિયા સીટ પર 49 અને નાગાલેન્ડની સીટ પર ફરી મતદાન કરાવ્યું હતું

ત્રણ રાજ્યોની 4 લોકસભા અને નવ રાજ્યોની 10 વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેની આજે મતગણતરી શરૂ થઈ ગઈ છે. 28મેના રોજ આ ચૂંટણી માટે મતદાન થયુ હતું. લોકસભા સીટમાં ઉત્તર પ્રદેશના કૈરાના, મહારાષ્ટ્રના પાલઘર, ભંડારા-ગોંદિયા અને નાગાલેન્ડની સીટો સામેલ છે. કૈરાના સહિત 3 લોકસભા સીટના 123 બૂથ પર ઈવીએમ ખરાબ હોવાની ફરિયાદના કારણે 30મેના રોજ ફરી મતદાન કરાવવામાં આવ્યું હતું. કોંગ્રેસ મહારાષ્ટ્રની પલૂસ કડેગાંવ વિધાનસભા સીટ બચાવવામાં સફળ રહી છે. અહીંથી વિશ્વજીત પતંગરાવ કદમને બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે.

સવારે 10 વાગ્યા સુધીનું અપડેટ

- પાલઘરમાં 4 રાઉન્ડ પછી બીજેપીના રાજેન્દ્ર ગાવિત આગળ

- ગોંદિયા-ભંડારા લોકસભા સીટ પર એનસીપી 3000 મતથી આગળ

- કૈરાનામાં 3 રાઉન્ડ પછી આરએલડી 9762 મતથી આગળ

- કૈરાનામાં આરએલડીના તબસ્સુમ હસન બીજેપીના મૃગાંકા સિંહ કરતા આગળ

- પાલઘર, ગોંદિયા-ભંડારા, કૈરાના અને નાગાલેન્ડ પોસ્ટલ બેલેટની કાઉન્ટિંગ પૂરી

ચાર લોકસભા સીટની સ્થિતિ

1) કૈરાના, ઉત્તરપ્રદેશઃ તબસ્સુમ હસન, રાલોદ V/S મૃગાંકા સિંહ, ભાજપ

કેમ ખાલી થઈ: ભાજપ સાસંદ હુકમ સિંહના નિધનના કારણે

- અહીં 2014માં હુકમ સિંહને 5,65,909 વોટ મળ્યા હતા. અહીં કુલ મતદાનના 50.6 ટકા હતું. તેમને સમાજવાદી પાર્ચીના નાહિદન હસનને 2,36,636 મતથી હરાવ્યા હતા. તેમને કુલ મતદાનના માત્ર 29 ટકા મત જ મળ્યા હતા.

- આ વખતે ભાજપ ઉમેદવારને વધારે મુકાબલો કરવો પડે તેવી સ્થિતિ છે. આરએલડી ઉમેદવાર બસસ્સુમને સપા, બસપા, કોંગ્રેસ અને આપે સમર્થન આપ્યું છે.

- 2014માં તેમાંથી આરએલડી ઉમેદવારને 3.8 ટકા, સપા ઉમેદવારને 29.4 ટકા, બસપા ઉમેદવારને 14.3 ટકા અને આપ ઉમેદવારને 0.2 ટકા વોટ મળ્યા હતા. આરએલડી સાથે ગઠબંધનના કારણે કોંગ્રેસે અહીં તેમનો ઉમેદવાદ નથી ઉતાર્યો. આ વખતે એકજૂથ થયેલા 4 દળનો વોટ શેર એક કરી દેવામાં આવે તો તે કુલ 47.7 ટકા થાય. કુલ વોટ મળીને 5,34,864 થાય છે. જે હુકુમ સિંહને મળેલા વોટ અને વોટ શેર કરતા ઓછું છે.

2) પાલધર, મહારાષ્ટ્રઃ શ્રીનિવાસ વનગા, શિવસેના V/S રાજેન્દ્ર ગાવિત, ભાજપ

કેમ ખાલી થઈ આ સીટ- ભાજપ સાંસદ ચિંતામણ વગનાના નિધનના કારણે

કોંગ્રેસ-શિવસેનાએ ભાજપને ઘેર્યું

- શ્રીનિવાસ ભાજપના દિવંગત સાંસજ ચિંતામણ વનગાનો દીકરો છે. પરંતુ આ વખતે એનડીએથી અલગ થઈને શિવસેનાને તેમને પોતાના પક્ષમાં લાવવામાં સફળતા મળી ગઈ છે. ત્યારે ભાજપે રાજેન્દ્ર ગાવિતને ટીકિટ આપવી પડી. તેઓ પહેલાં કોંગ્રેસમાં હતા.

- 2014માં આ સીટે પર ભાજપ ઉમેદવાર ચિંતામણી વનગાએ 5,33,201 વોટ મળ્યા હતા. તે કુલ મતદાનના 53.7 ટકા હતા. તેમણે બહુજન વિકાસ અધાડી પાર્ટીના બલીરામ સુકુર જાધવને 2,39,520 મતથી હરાવ્યા હતા. જાધવને 29.6 ટકા મત મળ્યા હતા.

- કોંગ્રેસ-એનસીપીએ 2014માં આ સીટ પર કોઈ ઉમેદવાર નહતો ઉતાર્યો, પરંતુ આ વખતે ગઠબંધનની થી દામોદર શિંગદાને ટીકિટ આપવામાં આવી છે. તેઓ કોંગ્રેસમાં રહેલા ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ગાવિતના વોટ કાપી શકે છે.

3) ભંડારા-ગોદિયા, મહારાષ્ટ્રઃ મધુકર કુકડે, એનસીપી V/S હેમંત પાટલે, BJP

કેમ ખાલી થઈ આ સીટ: ભાજપના બળવાખોર સાસંદ નાના પટોલેએ રાજીનામું આપ્યું છે. તેઓ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે.

- નાના પટોલે ભાજપ છોડીને કોંગ્રેસમાં આવ્યા હતા, પરંતુ પાર્ટીએ તેમને ટીકિટ ન આપી. આ સીટ પર કોંગ્રેસે એનસીપી સાથે સમજૂતી કરી લીધી છે. માનવામાં આવે છે કે, કોંગ્રેસ પટોલને ટીકિટ આપતી તો એનસીપીનો એક વર્ગ તેમને સમર્થન ન આપતા.

- 2014માં અહીં નાના પટોલને 6,06,129 મત મળ્યા હતા. તેમણે એનસીપીના દિગ્ગજ નેતા પ્રફુલ્લ પટેલને અંદાજે દોઢ લાખ મતથી હાર અપાવી હતી.

4) નાગાલેન્ડઃ તોખેયો યેપથોમી, પીડીએ V/S સીએ અપોક જમીર, એનપીએફ

કેમ ખાલી થઈ આ સીટ: હાલના મુખ્યમંત્રી નેફ્યૂ રિયોએ રાજીનામું આપ્યું. તેઓ ભાજપના સમર્થનવાળા નગા પીપુલ્સ ફ્રન્ટમાંથી છે.

એક સમયે 86 ટકા મત મેળવનાર કોંગ્રેસ 3 ચૂંટણી પછી પણ જીત નથી મેળવી શકતી

- આ સીટ ઉપર માત્ર બે ઉમેદવાર છે. રાજ્યની તે એક માત્ર લોકસભા સીટ છે.

- આ સીટ પર મુખ્ય મુકાબલો કોંગ્રેસના સમર્થન વાળા પીપુલ્સ ડેમોક્રેટિક અલાયંન્સ (પીડીએ) અને ભાજપ સમર્થનવાળા નગા પીપુલ્સ ફ્રન્ટ (એનપીએફ) વચ્ચે છે.

- ત્રણ વાર આ સીટ પર એનપીએફને જીત મળી છે. આ પહેલાં આ સીટ પર કોંગ્રેસનો કબજો હતો.

- 1998ની ચૂંટણીમાં અહીં કોંગ્રેસ ઉમેદવારને 86.70 ટકા વોટ અને 1999માં 71.18 ટકા વોટ મળ્યા હતા. ત્યારપછી 2004ની ચૂંટણીમાં એનપીએફએ કોંગ્રેસને બહારનો રસ્તો બતાવી દીધો હતો.

Next Story