Connect Gujarat
દુનિયા

પેશાવરમાં આત્મઘાતી વિસ્ફોટ : ANPનાં નેતા સહિત 14નાં મોત

પેશાવરમાં આત્મઘાતી વિસ્ફોટ : ANPનાં નેતા સહિત 14નાં મોત
X

પેટા હુમલો થયાની થોડી જ વારમાં રાહત અને બચાવ કામગીરી શરૂ

પાકિસ્તાનનાં પેશાવર શહેરમાં મંગળવારે રાત્રે ચૂંટણી માટે યોજાયેલ એક બેઠકમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં અવામી નેશનલ પાર્ટી (ANP)નાં નેતા હારૂન બિલ્લૌક સહિત ઓછામાં ઓછા ૧૪ વ્યક્તિઓ માર્યા ગયા છે. પ્રાથમિક જાણકારી અનુસાર યાકાતૂત વિસ્તારમાં થયેલા આત્મઘાતી હુમલામાં એક ડઝનથી પણ વધારે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બિલ્લૌર અને અવામી નેશનલ પાર્ટી (ANP)નાં કાર્યકર્તાઓ આ બેઠક માટે એકત્ર થયા અને તરત જ એક ભયાનક ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો.

બિલ્લૌર સ્ટેજ પર પહોંચ્યાને તરત જ ફટાકડા ફુટવાનાં શરૂ થઈ ગયા હતા અને તેવામાં જ એક આત્મઘાતી હુમલાવરે પોતાને આ બ્લાસ્ટમાં ઉડાવી દીધો હતો. આ આત્મઘાતી હુમલામાં બિલ્લૌર અત્યંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યાં હતા પરંતુ રસ્તામાં જ તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું. હુમલો થતાની થોડી જ વારમાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

Next Story