Connect Gujarat
ગુજરાત

પોર પાસે બ્રિજની ક્ષતિગ્રસ્ત રેલિંગનું તંત્ર દ્વારા સમારકામ હાથ ધરાયું

પોર પાસે બ્રિજની ક્ષતિગ્રસ્ત રેલિંગનું તંત્ર દ્વારા સમારકામ હાથ ધરાયું
X

વડોદરા જિલ્લાનાં પોર પાસેથી પસાર થતા ને. હાઇવે નંબર ૪૮ પર આવેલા બ્રિજની રેલિંગ થોડા દિવસો અગાઉ કોઈ વાહનચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા વાહન રેલિંગ સાથે અથડાતા ક્ષતિગ્રસ્ત થઈ હતી. રેલિંગ ક્ષતિગ્રસ્ત થતા વાહનચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઇ રહી હતી.

બ્રિજની રેલિંગ ક્ષતિગ્રસ્ત થયાના સમાચાર કનેક્ટ ગુજરાત દ્વારા પ્રસારિત થતા તંત્ર હરકતમાં આવ્યું હતું. અહેવાલનાં પગલે સંબંધિત ખાતા દ્વારા યુધ્ધના ધોરણે બ્રિજની રેલિંગનું સમારકામ હાથ ધરાયું હતું. ક્ષતિગ્રસ્ત રેલિંગનુ સમારકામ ચાલુ કરાયું હતું. રેલિંગનું સમારકામ પૂર્ણ થતા વાહનચાલકોને મોટી રાહત મળશે અને સાથે સાથે અકસ્માતની ભીતિમાંથી પણ છુટકારો મળશે.

Next Story