Connect Gujarat
દેશ

પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડની જાહેરાત, જાણો કોના નામનો છે સમાવેશ

પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડની  જાહેરાત, જાણો કોના નામનો છે સમાવેશ
X

સરકાર દ્વારા પ્રતિષ્ઠિત એવા પદ્મશ્રી એવોર્ડ 2017ની જાહેરાત કરવામાં આવી છે, સરકાર દ્વારા આપવામાં આવતા પદ્મ શ્રેણીમાં પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણનો સમાવેશ થાય છે.

આ વર્ષે 120 જેટલા નાગરિકોને આ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જેમના કેટલાકના નામ નીચે દર્શાવવામાં આવ્યા છે.

પદ્મશ્રી એવોર્ડ વિજેતાઓ :

દીપા કર્માકર, સાક્ષી મલિક, અનુરાધા પૌડવાલ, કૈલાશ ખેર, અલી અહમદ, વિરાટ કોહલી, ટીએન મૂર્તિ, વિકાસ ગૌડા, ભાવના સોમૈયા, કવલ સિમ્બલ, કાશીનાથ પંડિત, નરેન્દ્ર કોહલી, શેફ સંજીવ કપૂર નો સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતના એવોર્ડ્સમાં સામાજિક ક્ષેત્રે કોઈ પણ આશા વગર લોકોમાં રહીને તેમના હિત માટે કામ કરીને સેવા કરતા સેવાભાવીઓ નો પણ આ વખતે પદ્મશ્રી માટે પસંદગી પામ્યા છે.

અન્ય સાત વ્યક્તિઓને પદ્મ ભૂષણ અને 7 વ્યક્તિઓને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

Next Story