બગદાદમાં થયેલ બે વિસ્ફોટમાં 28 લોકો મૃત્યુ પામ્યા
BY Connect Gujarat31 Dec 2016 11:14 AM GMT
X
Connect Gujarat31 Dec 2016 11:14 AM GMT
ઈરાકના પાટનગર બગદાદના એક ભીડભાડ વાળા બજારમાં શનિવારના રોજ બે બોમ્બ વિસ્ફોટ થયા હતા જેમાં લગભગ 28 લોકો માર્યા ગયા અને 53 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર એક બોમ્બ ગાડીઓના સ્પેરપાર્ટ્સના વિસ્તારમાં અને બીજો પોસ્ટ ઓફિસ નજીક ફાટ્યો હતો. આ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી જૂથ દ્વારા સ્વીકારવામાં આવી છે અને મોટે ભાગે સમગ્ર દેશમાં ઇરાકી સુરક્ષા દળો તેમજ ગીચ વિસ્તારોને ટાર્ગેટ બનાવવામાં આજ જૂથનો હોય છે
આ ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો અને સુરક્ષા દળો દ્વારા બચાવ અને રાહત કાર્ય હાથ ધર્યું હતુ.
Next Story