Connect Gujarat
દુનિયા

બગદાદમાં થયેલ બે વિસ્ફોટમાં 28 લોકો મૃત્યુ પામ્યા 

બગદાદમાં થયેલ બે વિસ્ફોટમાં 28 લોકો મૃત્યુ પામ્યા 
X

ઈરાકના પાટનગર બગદાદના એક ભીડભાડ વાળા બજારમાં શનિવારના રોજ બે બોમ્બ વિસ્ફોટ થયા હતા જેમાં લગભગ 28 લોકો માર્યા ગયા અને 53 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

75caec0bd9904029820f6a706700139d

સૂત્રોના જણાવ્યા અનુસાર એક બોમ્બ ગાડીઓના સ્પેરપાર્ટ્સના વિસ્તારમાં અને બીજો પોસ્ટ ઓફિસ નજીક ફાટ્યો હતો. આ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી જૂથ દ્વારા સ્વીકારવામાં આવી છે અને મોટે ભાગે સમગ્ર દેશમાં ઇરાકી સુરક્ષા દળો તેમજ ગીચ વિસ્તારોને ટાર્ગેટ બનાવવામાં આજ જૂથનો હોય છે

આ ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો અને સુરક્ષા દળો દ્વારા બચાવ અને રાહત કાર્ય હાથ ધર્યું હતુ.

Next Story