બજેટમાં નાના વર્ગનું જીવન ધોરણ ઉંચુ આવે તેવી જોગવાઈ સરકારે કરવી જોઈએ,બિઝનેશમેન અલ્પેશ પટેલ
BY Connect Gujarat31 Jan 2018 9:00 AM GMT
X
Connect Gujarat31 Jan 2018 9:00 AM GMT
ભરૂચનાં યુવા બિઝનેશમેન અલ્પેશ પટેલે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે બજેટમાં સરકારે નાના વર્ગનાં લોકોનું જીવન ધોરણ ઉંચુ આવે તેવી જોગવાઈ કરવી જોઈએ તેમ જણાવ્યુ હતુ.
નાણાંમંત્રી અરુણ જેટલી દ્વારા તારીખ 1લી ફેબ્રુઆરી ગુરૃવારનાં રોજ સામાન્ય બજેટ રજુ કરવામાં આવશે, બજેટ અંગે વેપારી વર્ગની અપેક્ષાઓ જણાવતા ભરૂચનાં બિઝનેશમેન અલ્પેશ પટેલે જણાવ્યુ હતુ કે વાજપાઇ સરકાર હતી ત્યારથી અત્યાર સુધી ટેક્સ સ્લેબમાં મોટો કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તેથી ટેક્સ સ્લેબમાં સુધારો કરીને સરકાર દ્વારા નાના વર્ગનાં લોકોનું જીવન ધોરણ સુધરે તેવી જોગવાઈ માટેની આશા વ્યક્ત કરી હતી.
Next Story