Connect Gujarat
ગુજરાત

બારડોલીમાં સેવણીમાં કરાયું નિષ્ઠુર બાપ નિશિતના પૂતળાનું દહન !!!

બારડોલીમાં સેવણીમાં કરાયું નિષ્ઠુર બાપ નિશિતના પૂતળાનું દહન !!!
X

પાટીદાર મહિલાઓ એ નિશિત પટેલ ને કડક માં કડક સજા કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી

સુરત જિલ્લા ના પલસાણા તાલુકાના વણેસા ગામે માસુમ બાળકની હત્યા મામલે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કામરેજ તાલુકાના સેવણી ગામે આસ પાસના ગ્રામજનોએ ભેગા મળી હત્યારા પિતા નિશિત પટેલ નું પૂતળાંદહન કર્યું હતું.

સુરત જિલ્લામાં ચકચારી બનેલ વણેસા ગામે માસુમ બાળક નીવની હત્યા મામલે લોકોમાં રોષ બંધ થવાનું નામ નથી લેતો. હત્યારા પિતા નિશિત પટેલે ગુનાની કબૂલાત કર્યા બાદ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે . ત્યારે કામરેજ તાલુકાના સેવણી ગામે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના સભ્યો મહિલાઓ ભેગા થયા હતા. અને સેવણી ચાર રસ્તા નજીક હત્યારા પિતા નિશિત પટેલ નું પૂતળા દહન કર્યું હતું. પાટીદાર મહિલાઓ એ નિશિત પટેલ ને કડક માં કડક સજા કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી

હત્યારો પિતા નિશિત પટેલ સુરત જિલ્લા લેવા પાટીદાર સમાજ ની યુવા પાંખમાં પ્રમુખ તરીકે પણ આગેવાની કરતો હતો. જેથી પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાયો છે. હાલ નિશિત પટેલ પાંચ દિવસના પોલીસ રિમાન્ડ ઉપર છે. જોકે પાટીદાર સમાજમાં કલંકિત બનેલ ઘટનાથી નિશિત પટેલ સામે પોલીસ મક્કમ પુરાવા ભેગા કરી તેને દાખલો બેસાડવામાં આવે જેથી સમાજ માં આવું ક્રૂર કૃત્ય કોઈ કરી ના શકે.

ઘટના ને આજે એક સપ્તાહ થી વધુ સમય વીતી જવા છતાં હજુ માસુમ નીવની કોઈ ભાળ મળી નથી. જેથી લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. અને પાટીદાર સમાજના લોકો પણ હત્યારા પિતા નિશિતને ગામ તેમજ સમાજથી દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

Next Story