Connect Gujarat
દેશ

બીકાનેરના સેન્ડ આર્ટિસ્ટે ભગવાન શ્રીરામની બનાવી આકૃતિ

બીકાનેરના સેન્ડ આર્ટિસ્ટે ભગવાન શ્રીરામની બનાવી આકૃતિ
X

અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે બિકાનેર સદીઓથી રાહ જોઇ રહ્યું છે. ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણનો શિલાન્યાસના પ્રસંગે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાય ગયો છે. પણ આ કોરોનાના સમયગાળામાં દરેક વ્યક્તિ પોતાના અનુરૂપ ખુશી વ્યક્ત કરી રહ્યો છે અને આ પ્રસંગે ઘીના દીવડાઓ પ્રગટાવીને અને ઘરોમાં ધાર્મિક વિધિ કરીને, ભક્તિ કરી રહ્યા છે.

બીકાનેરના સેન્ડ (રેતી) આર્ટિસ્ટ મહાવીર રામાવતે પણ કાળઝાળ ગરમી વચ્ચે રેતીની માટીમાં ભગવાન રામની પ્રતિમાને બનાવીને પોતાની કલા દ્વારા લાગણી વ્યક્ત કરી હતી. કલાકાર મહાવીરે કહ્યું કે, આ આકૃતિ બનાવવામાં તેમને લગભગ 7 કલાકનો સમય લાગ્યો હતો. મહાવીરે તેના સાથી કલાકારો સાથે, રેતીની માટી અને પાણીથી બનેલા આ આકૃતિનું આર્ટવર્ક પૂર્ણ કર્યું હતું.

બીકાનેરના જેસલમેર બિકાનેરે હાઇવે પર રેતાળ રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો આ આર્ટવર્કને જોવા માટે ઉમટ્યા હતા. અયોધ્યામાં મંદિર નિર્માણનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે.

Next Story