ભરૂચઃ કારનું ટાયર ફાટતાં સર્જાયો અકસ્માત, ચાલકનું મોત- બે ગંભીર
BY Connect Gujarat14 Aug 2018 4:44 AM GMT
X
Connect Gujarat14 Aug 2018 4:44 AM GMT
રાજકોટનાં પરિવારને નેશનલ હાઈવે ઉપર નબીપુર પાસે નડ્યો અકસ્માત
ભરૂચ- વડોદરા નજીક એક સ્કોર્પિય કારનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકને ગંભીર ઈજા પહોંચતાં સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને ઈજા પહોંચતાં સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ભરૂચ-વડોદરા નેશનલ હાઈવે ઉપર આજરોજ વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો.
નબીપુર પાસેથી પસાર થઈ રહેલી સ્કોર્પિયો કાર નંબર GJ-16, AC-3500 નું ટાયર ફાટતાં કાર ડિવાઈડર ઉપર ચઝી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં ચાલકને ગંભીર ઈજા પહોંચતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજા થતાં તેમને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતનો ભોગ બનનાર રાજકોટના રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે.અકસ્માતના પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
Next Story