ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી 31.50 ફુટ : 2900 થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર
BY Connect Gujarat11 Sep 2019 2:54 AM GMT
X
Connect Gujarat11 Sep 2019 2:54 AM GMT
નર્મદા ડેમમાંથી વિપુલ માત્રામાં પાણી છોડાતા ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 31.50 ફુટ પર પોહચી છે. નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશી ગયા છે. ડેમના અત્યારે 23 દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા છે.
ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડીયા તાલુકામાંથી અત્યાર સુધીમાં 2900 થી વધુ લોકોને સલામત જગ્યાઓ પર ખસેડવામાં આવ્યા છે. બુધવારે સવારે સાત વાગ્યે નર્મદા નદીની સપાટી 31.50 ફુટ નોંધાય હતી.ડેમમાંથી હજી પાણીની આવક ચાલુ હોવાથી નર્મદા નદીની સપાટી હજી વધી શકે છે.
Next Story