Connect Gujarat
ગુજરાત

ભરૂચના શાહપુરા ગામ ખાતે ૧૬ વર્ષની સગીરા પર ત્રણ હવસખોર યુવાનોનો બળાત્કાર

ભરૂચના શાહપુરા ગામ ખાતે ૧૬ વર્ષની સગીરા પર ત્રણ હવસખોર યુવાનોનો બળાત્કાર
X

સાત માસ પૂર્વે ખેતરમાં ચાર કાપતા વેળા નાંદ ગામના યુવાને કર્યું હતું દુષ્કર્મ

અન્ય બે યુવાનોએ પણ દુષ્કર્મ કર્યું હોવાનું બહાર આવ્યું

ત્રણે હવસખોર યુવાનોની ધરપકડ

ભરૂચ તાલુકાના શાહપુરા ખાતે નાંદ ગામના હવસખોર યુવાને ખેતરમાં ચાર કાપતી સગીરા સાથે દુષ્કર્મ કરતા મામલો નબીપુર પોલીસ મથકે પહોંચતા પોલીસે હવસખોર યુવાન સામે બળાત્કારનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.સગીરાએ નાંદ ગામના જ અન્ય બે યુવાનોએ ઓન દુષ્કર્મ કર્યું હોવાનું જણાવતા પોલીસે ત્રણે હવસખોરોની ધરપકડ કરી જેલ ભેગા કર્યા છે. સગીરા ગર્ભવતી બનતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હોવાના અહેવાલ મડી રહયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના શાહપુરા ગામ ખાતે આશરે સાત માસ પૂર્વે ૧૬ વર્ષની સગીરા પર બળાત્કાર થયો હતો. જેમાં નોંધાયેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ શાહપુરા ગામની સગીર બાળા સીમમાં આવેલ ખેતરમાં ઘાસ કાપવાનું કામ કરી રહી હતી. જ્યા તકનો લાભ ઉઠાવી નાંદ ગામના રહીશ સતીષ શનાભાઈ વસાવાએ સગીરાને પાછળથી પકડી જમીન પર પછાડી મોઢું બંધ કરી બળાત્કાર ગુજાર્યો હતો. સાત માસ પૂર્વે બનેલી ઘટનામાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં નાંદ ગામના જ અને સતીષ વસવાના મિત્રો રાહુલ રણજિત વસાવા અને શિવા પૂજા વસાવાએ પણ દુષ્કર્મ કર્યું હોવાનો ઘટ:સ્ફોટ કર્યો હતો. જેના આધારે નબીપુર પોલીસે ત્રણે હવસખોર યુવાનોની ધરોકડ કરી તેમને જેલ ભેગા કર્યા છે.

ઉલ્લેખનીય છે કે સગીરા સગર્ભા બનતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હોવાના અહેવાલ મળી રહયા છે. સગર્ભા સગીરાએ બે દિવસ પહેલા જ નવજાત શિશુને જન્મ આપ્યો હોવાના અહેવાલ પણ મળી રહયા છે.

Next Story