ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે વિવિધ વિષયો પર પ્રોજેક્ટોનું પ્રદર્શન યોજાયુ
BY Connect Gujarat12 Jan 2018 12:18 PM GMT
X
Connect Gujarat12 Jan 2018 12:18 PM GMT
ભરૂચ શક્તિનાથ સર્કલ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય દ્વારા પ.પૂ. નારાયણ બાપુનાં આશ્રમમાં વિવિધ વિષયો પર પ્રોજેક્ટોનું પ્રદર્શન યોજવામાં આવ્યુ છે.
[gallery size="full" td_select_gallery_slide="slide" ids="39616,39617,39618,39619,39620,39621,39622"]
રાજ્યનાં સહકાર, રમત ગમત અને વાહન વ્યવહાર મંત્રી ઈશ્વરસિંહ પટેલનાં હસ્તે આ પ્રદર્શનને ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. શાળાનાં ધોરણ 4 થી 11નાં વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહનાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વનિર્મિત પ્રયોગો, મોડેલ્સ જેવા 1000 જેટલા વિવિધ વિષયો પરનાં પ્રોજેક્ટોનું પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે જિલ્લા ભાજપનાં આગેવાન મારુતિસિંહ અટોદરિયા,જિલ્લા શિક્ષણાધિકારી નૈષધ મકવાણા ,આચાર્ય સંઘનાં પ્રમુખ પી.ડી.રાણા ,શાળાનાં ચેરમેન હેમંત પ્રજાપતિ સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Next Story