Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં બહુજન સમાજે દિલ્હીમાં રૈદાસજીનું મંદિર તોડવા સામે નોંધાવ્યો વિરોધ

ભરૂચમાં બહુજન સમાજે દિલ્હીમાં રૈદાસજીનું મંદિર તોડવા સામે નોંધાવ્યો વિરોધ
X

દિલ્હી માં આવેલ ૬૦૦ વર્ષ પુરાણા સંત શિરોમણી શ્રી રૈદાસજીના મંદિરને તોડી પાડવામાં આવતા બહુજન સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. મંદિરને તોડી નાંખી તેમની ઐતિહાસિક વિરાસતને ખતમ કરી નાખવાના ષડયંત્ર સામે બહુજન સમાજ રસ્તા પર આવી જલદ આદોલન ચલાવી રહયો છે. જેને પગલે ભરૂચ બહુજન હિતરક્ષક સમિતિ તથા સંત શ્રી રૈદાસ સંસ્થા દ્વારા વિરોધ પ્રદર્શિત કરવા સાથે મંદિર તોડી પાડનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

Next Story