Connect Gujarat
ગુજરાત

દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની પૂણ્યતિથિએ ભરૂચ ખાતે પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાયો

દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની પૂણ્યતિથિએ ભરૂચ ખાતે પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાયો
X

પુષ્પાંજલિ કાર્યક્રમ બાદ એકતાયાત્રા - સ્વચ્છતા રેલી યોજાઇ

ભરૂચ નગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર- ભરૂચના સંયુકત ઉપક્રમે દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની પૂણ્યતિથિએ પુષ્પાંજલિનો કાર્યક્રમ ભરૂચના સોનેરી મહેલ ખાતે રાખવામાં આવેલ હતો.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="77180,77182,77183,77184,77185,77186"]

આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ, જિલ્લા કલેકટર રવિકુમાર અરોરા, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આગ્રે, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ સુરભીબેન તમાકુવાલા, મુખ્ય અધિકારી સોની, નગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેન- સદસ્યોએ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને વંદન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે એકતાયાત્રા અને સ્વચ્છતા રેલીનું પણ આયોજન હાથ ધરાયું હતું જેની મહાનુભાવોએ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ અવસરે મહાનુભાવો ધ્વારા સરદાર પટેલની દુરંદેશીતાને કારણે જ આપણે અખંડ ભારતમાં જીવી રહ્યા છે. તેઓના એકતાના સંદેશને જનજન સુધી પહોંચાડવો છે તેમ જણાવી સરદાર સાહેબના રાષ્ટ્રપ્રેમ અને કાર્યો વિશે વાત કરવામાં આવી હતી. પુષ્પાંજલિ કાર્યક્રમમાં તથા એકતાયાત્રા - સ્વચ્છતા રેલીમાં નગરપાલિકાના કર્મચારીઓ સહિત નગરજનો જાડાયા હતા.

Next Story