Connect Gujarat
સમાચાર

ભરૂચમાં 232 મી બુક લવર્સ મીટ યોજાશે

ભરૂચમાં 232 મી બુક લવર્સ મીટ યોજાશે
X

આર. સી. સી ભરૂચ દ્વારા સંચાલિત બુક લવર્સ મીટ આગામી તારીખ 22 સપ્ટેમ્બર 2016ને ગુરુવારે સાંજે 6:30 કલાકે સ્ટેશન રોડને અડીને આવેલ એમ.આઈ.પટેલ રોટરી હોલ ખાતે યોજાશે.

232મી બુક લવર્સ મીટમાં હિન્દી ફિલ્મના જાણીતા ગીતકાર, કવિ, નિર્દેશક ગુલઝાર દ્વારા લિખિત પુસ્તક "રાવી પાર"નો પરિચય વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના ગુજરાતી વિભાગના અધ્યાપિકા ડો.પન્ના ત્રિવેદી દ્વારા આપવામાં આવશે.

બુક લવર્સ મીટના સભ્યોને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે સંસ્થાના કો-ઓર્ડિનેટર ઋષિ દવે દ્વાર આમંત્રણ પાઠવવા માં આવ્યુ છે.

Next Story