Connect Gujarat
ગુજરાત

ભરૂચ-અંકલેશ્વરનાં વાતાવરણમાં આવ્યો પલટો, દિવસભર રહ્યો વાદળછાયો માહોલ

ભરૂચ-અંકલેશ્વરનાં વાતાવરણમાં આવ્યો પલટો, દિવસભર રહ્યો વાદળછાયો માહોલ
X

છેલ્લાં કેટલાંય દિવસોથી ફૂંકાઈ રહેલા પવનોને કારણે આજે ભરૂચ જિલ્લાનાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.

બપોર બાદ આકાશમાં ધસી આવેલી વાદળોની ફોજને લઈને તાપમાનનો પારો પણ 42 ડિગ્રીએ જ અટકી ગયો હતો. બીજી તરફ વાદળ છાયા માહોલ વચ્ચે પવનો પણ ધીમા પડ્યા હતા. દિવસ દરમિયાન 11 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હોવાની એક ખાનગી વેબસાઈટનાં અહેવાલમાં જણાવાયું હતું.

ગરમીનો પારો સાંજ સુધીમાં 37 ડિગ્રી સુધી આવીને અટકી જાય તેવી શક્યતા પણ દર્શાવી હતી.

Next Story